Home Entertainment
April 04, 2026

બોલિવૂડમાં ફરી મોટો ધડાકો: રણવીર સિંહ અને આદિત્ય ધર લાવશે 1000 કરોડની ઐતિહાસિક ફિલ્મ

Paras Joshi

Author

Post Image

ડાયરેક્ટર આદિત્ય ધર અને અભિનેતા રણવીર સિંહની જોડીએ 'ધુરંધર' અને 'ધુરંધર 2' ની સફળતા બાદ બોલિવૂડમાં ધૂમ મચાવી દીધી છે. હવે આ જોડી એક નવા અને અત્યંત ભવ્ય પ્રોજેક્ટ માટે ફરી સાથે આવી રહી છે. અહેવાલો મુજબ, આદિત્ય ધર હવે ભારતની પૌરાણિક કથા અને ઈતિહાસ પર આધારિત એક મેગા બજેટ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એવી ચર્ચા છે કે આ ફિલ્મ ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમાદિત્ય અને સમુદ્રગુપ્તના સમયકાળ પર આધારિત એક ટ્રિલોજી (ત્રણ ભાગની ફિલ્મ) હોઈ શકે છે.

આ ફિલ્મનું બજેટ અંદાજે 1000 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. આદિત્ય ધરનો ડ્રીમ પ્રોજેક્ટ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા' જે અગાઉ બજેટના કારણે અટકી ગયો હતો, તેને પણ હવે રણવીર સિંહ સાથે ફરી શરૂ કરવાની યોજના હોઈ શકે છે. હાલમાં રણવીર સિંહ તેની ફિલ્મ 'પ્રલય' ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તે પૂરું થયા બાદ આ ઐતિહાસિક ફિલ્મ પર કામ શરૂ થશે. જો બધું બરાબર રહ્યું તો આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાંની એક સાબિત થશે.